રઘવાયો રઘવાયો આધુનિકતા માં હું હતો,
જેટલી ગતિ જીવનને મળી એટલી તો નવરાશ ઓછી થઈ
બેચેની વાળું મન, ઉતાવડીયું આહાર વિહાર અને હમેશા સમય નથી એ વિચાર આધુનિકતા ની દેન બની.
સઘળા કાર્ય બાજુ એ મુક્યા, પૂર્વજો નિરાંતે કેમ જીવતા એના ઘડી વિચાર કર્યા.
મન ની આંખો બંધ કરી, તરત મને તો નિરાંત જળી.
હવે એ ખ્યાલ આયો, નાનક, બુદ્ધ, શંકરે કેમ પદયાત્રા કરી,
ઝડપી યાત્રા થી શુક્ષ્મ નિરીક્ષણ નહિ.
વિનોબા ના ચૈરવતી નો આભાસ થયો, ચરક ના નામ ની સમજણ પડી.
જેટલો મનુષ્ય ધીમો થયો એટલો એતો જ્ઞાની થયો.
અમે તો આધુનિકતા માં મહિતીઓ માત્ર એકત્રિત કરી,
આત્માનુભવ, અને શાણપણ વગર ની જિંદગી કરી.
જળ ઉપકરણ ના વળગણ થકી જીવંત જગ અને જીંદગી નકારી દીધી.

