Friday, 25 January 2019

ગાંધી આપણી જોડે છે, શુ આપણે ગાંધી જોડે છીએ?




ઘણા સમય થી મનોમંથન ચાલી રહ્યું હતું, કે ગાંધીજી આજના સમય માં હોત તો સારું, થોડું વધારે જીવ્યા હોત તો સારું પણ આજે એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે ગાંધીજી સદાય આપણી જોડે જ છે અને હજારો વર્ષ હજી રહેશે પણ આપણે એમને નકારીયે છે. રોજેરોજ નકારવાની ભૂલ આપણે કરી રહ્યા છે. ગાંધી ને કોણ મારી શકે, નાથુરામ મારવા તો ગયો પણ એ ફક્ત શરીર ને મારી શક્યો. ગાંધી વિચાર નું અસ્તિત્વ ઘણું વિરાટ છે, એમાં આપણે જેમ બને એમ વિલીન થઈ શકિયે પણ એના માટે યોગ્યતા ની કસોટીઓ ઘણી. જેટલી કસોટીઓ પાર કરીયે એટલા જ બાપુ સંલગ્ન અને જોડે હોય એમ લાગે, જાણે સ્થૂળ શરીર છોડી એક દિવ્ય ચેતના બની આજે પણ સત્ય ના માર્ગ બતાવી રહ્યા હોય પણ આપણે એમની જોડે નથી એટલે બીજા ઘણી નકારાત્મકતા ઘર કરી બેઠી છે. એમના શબ્દો માં કહીયે તો આત્મબળ આપણા માં રહ્યું નથી જે એમને વિકસાવવાની વાત કરી હતી.

ગાંધીજી નું સત્ય દર્શન વિશિષ્ટ છે, એ કઈ એકલા હિમાલય જઈ શાંતિ મેળવવા ન હતા ઇચ્છતા પર હિમાલય ની શાંતિ સમાજ માં સ્થાપવા ઇચ્છતા હતા. તેથી એક સંત રાજનીતિ માં નૈતિકતા લાવી શક્યો. થિરૂવેલવર જે તિરૂકુલલર માં સામાજિક અધ્યાત્મ ની વાત કરી એજ ફરી ચેતના જગાડી સમાજ માં જરૂરિયાત ઓછી રાખી સ્વરાજ અને સ્વતંત્રતા ની વાત સાથે મૂકી. તેથી હું એમ કહી શકું કે ગાંધી હાલ ના સમય માં વધુ પ્રાસંગીક છે, એ આધુનિક સમસ્યા ની ખુબ પરિચિત છે અને ભારતીય જ્ઞાન પરમ્પરા ના સાચા પ્રતિનિધિ છે. તેથી અત્યંત મુશ્કેલી વાળો પથ પર એમન પુરુષાર્થ થકી આપણા માટે આધુનિકતા ના આક્રમણ સામે નો માર્ગ સરળ કર્યો. ભારતીય સમાજ ને મોક્ષ માટે બુદ્ધ અને નાનક બનતા પેહલા ગાંધી બનવું પડશે. તે માટે ક્ષણ ક્ષણ નું માર્ગદર્શન પણ એમનું છે જ. બસ આપણે એમની જોડે નથી કે એ રસ્તે ચાલવાની હિંમત ભેગી નથી કરી શકતા એટલે એને અપ્રાસંગિક ગણી પોતાને છેતરવાની ભૂલ કરી રહ્યા છે.

ગાંધીજી ની અહિંસા માત્ર શારીરિક બળ સુધી સીમિત નથી, એ તો તમે તમારા પડોશી દ્વારા બનતી વસ્તુ ને અસહકાર આપો ને મોટા કારખાના દ્વારા ઉત્પાદિત વસ્તુનો ઉપભોગ કરો એને હિંસા ગણતા, એ વ્યવસ્થા ને હિંસક ગણતા. આજે હવે જોઈ લો, આપણે રોજે રોજ એના વિચારો ને મારી એનાથી દૂર જઈએ છે. ગાંધીજી અહિંસા ના નામે કઈ અશક્ત વ્યક્તિઓની ભરતી કરવાનું ઇચ્છતા ન હતા. એતો કેહતા કે કાયરતા કરતા હિંસા સારી પણ એમની અહિંસા બૃહદ હતી એમાં સ્વરાજ અને સ્વાવલંબન ઇચ્છતા હતા જે અહિંસક સામાજિક અર્થવ્યવવસ્થા સ્થાપવાની વાત કરતું હતું જેમાં આધ્યાત્મિક જીવન શક્ય બને જે ભૌતિકતા વાળા જીવન માં શક્ય નથી.

પુસ્તકો નો અભ્યાસ કરવાનો, જીવન માં સુવર્ણ અવસર મળ્યો, દરેક પુસ્તકની જીવન પર ગાઢ અસર થઈ, પણ હિન્દ સ્વરાજે અનેરું સ્થાન લીધું, જાણે ભગવદ્દ ગીતા ની પ્રસ્તાવના હોય એમ ભાષ થાય, બાપુ પશ્ચિમ ની આસક્તિ વાળી ભૌતિક સંસ્કૃતિ થી બચવા નું આહવાન કરી ચેતવી રહ્યા છે, વિનોબા જી ના શબ્દો માં જાણે કોઈ ઋષિ ને ભવિષ્ય ના દર્શન થાય તેમ બાપુ ભવિષ્ય ને જોઈ રહ્યા હોય અને હિન્દ સ્વરાજ થકી સાચું સ્વરાજ સમજાવી રહ્યા હોય. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ હિન્દ સ્વરાજ વધુ પ્રાસંગીક બનતી ગઈ. તેથી ફરી એક જ વાત નું રટણ ફરી કરી રહ્યો છું કે ગાંધી જો આપણી જોડે છે આપણે એની જોડે છે? 

ગામડા નું પ્રાકૃતિક અને આધ્યાત્મિક જીવન ની વકાલત કરતા બાપુ ની વાતો નકારી શહેરો ની ભૌતિક અને પ્રદુષિત અધ્યાત્મ થી દૂર કરનારી સંસ્કૃતિ તરફ આપણે પ્રયાણ કર્યું તો આ સવાલ પૂછવો પ્રાસંગીક છે કે આપણે ગાંધી જોડે છીએ?

એ તો હજી ગ્રામ્ય જીવન માટે આહવાન કરે છે પણ આપણે જવાની હિંમત નથી તેથી ગાંધી તો આપણી જોડે જ છે જે સતત ભૌતિક થી અધ્યાત્મ તરફ, અસત્ય થી સત્ય તરફ, અંધકાર થી પ્રકાશ તરફ માટે માર્ગદર્શન કરવા બેઠા જ છે પણ આપણે એની જોડે નથી. 

એની નઈ તાલીમનું સ્વાવલંબન નું શિક્ષા દર્શન બાજુ પર મૂકી આપણે જ મૂડીવાદી ની ગુલામી આપતી નોકરી નું શિક્ષણ આપતું માળખું અપનાવ્યુ, તો સહજ મન માં સવાલ થઈ ઉઠે છે કે આપણે ગાંધી જોડે છીએ?

ગાંધી તો વ્યક્તિગત સત્યાગ્રહ ની વાત કરી, સ્વાવલંબન ની વાત કરી પણ આપણે આ બદતર વ્યવસ્થા ને કોઈ આવી સુધારે એની આશા એ પરાવલંબી જીવન જીવવા બેઠા છે.

મેરિત્ઝબર્ગ સ્ટેશન પર જેમ ગાંધી એ મનોમંથન કર્યું કે આ તો મને નહીં પણ માનવતા ને ધક્કો માર્યો છે. રંગભેદ ના કારણે અને વૈશ્વિક સમસ્યા માટે પોતે લડ્યા, આપણે પણ રોજે રોજ આવા અનુભવ થતા હોય છે. શું કરવું એ ગાંધીજી નું જીવન આપણી સમક્ષ છે બસ સંકલ્પ અને પ્રયાસ ની જરૂર છે. હું જયારે આધુનિક તબીબશાસ્ત્ર (મેડિકલ સાયન્સ), અર્થશાસ્ત્ર અને તથાકથિત લોકશાહી અભ્યાસ કર્યો અને એ ના નામે શોષણ નો ખ્યાલ આવ્યો તો એજ મનોમંથન હતું કે આ અભ્યાસ મારી જોડે જ રાખવો કે લોકો સુધી પહોંચાડવો, ગાંધીના મેરિત્ઝબર્ગ સ્ટેશનનું મનોમંથન મારા માટે માર્ગદર્શન બની રહ્યં એટલે ગાંધી સદાય આપણી જોડે છે. આપણે એમની જોડે નથી એટલે દિશાહીનતા અનુભવ કરીયે છે.

ગાંધી દર્શન નો પ્રકાશ હજારો વર્ષ સુધી રહેવાનો પણ આપણે આંખ ઉપર હાથ મૂકી અંધકાર પસંદ કર્યો તેથી જ મારાથી કહેવાય જાય છે કે ગાંધી તો મારી જોડે હમેશા છે પણ હું એની જોડે કેટલો છું?.

Saturday, 12 January 2019

ज्ञान की उलटी गंगा और विनाशकारी परिणाम





क्या मूर्ख बनाया गया कि जो स्त्री घर पे काम करती है वह इकोनॉमी के लीये अच्छा नही है। वुमन एम्पावरमेंट के नाम् पे कॉरपोरेट में काम पे लगाया गया, परिणाम क्या आया की जो महिला घर पे कार्य करती थी वह अब कॉर्पोरेट के लिए करने लगी। अब हम सोचेंगे की कॉर्पोरेट में कार्य करने से ज्ञान बढ़ा।

पर ज्ञान कोनसा बढ़ा और किसके लिए बढ़ा?

घर पे कार्य करती महिला का नॉलेज में देखता हु तो में खुद को अनपढ़ पाता हु। क्योंकि मेरी पढाई ने मुझे डेटा, माहिती, इन्फॉर्मेशन वगेरे दिया पर घर पे घी कैसे बनाना मुझे मेरी स्कूली पढाई ने नहीं शिखाया, खुद के रसोईघर के मसाले के मेडिसिनल गुण से खुद का उपचार करे नहीं शिखाया, घर पे अचार कैसे बनाना नहीं शिखाया, घर पे कपड़े कैसे सीने हे यह मुझे नहीं आता। में सब तैयार ला सकता हु क्योंकि में आधुनिक पढ़ा लिखा परावलम्बी हु और पिछले कई साल से आयुर्वेद का अभ्यास कर रहा हु तो पता चला की जो वह घर पे बनाती हे वह तो कितना बड़ा सायंस हे और कितना बड़ा उसमे अर्थशास्त्र, पर्यावरण, प्राकृतिक और आरोग्य विज्ञानं हे।

अब जो महिला घर पे सब बनाती हे उससे पेसो की बचत, अच्छे स्वास्थ्यवर्धक चीज़ो से सेहत अच्छी तो मेडिकल बिल और ईनसयोरस के प्रीमियम की बचत और यह सब कॉस्टिंग निकाले तो पता चले की कॉर्पोरेट में कार्य करना घाटे का सौदा ही हो सकता हे और अच्छे स्वास्थ्य की यह फायनान्शियल पढाई से कॉस्टिंग निकाले तो अच्छा स्वास्थ्य का कोई मूल्य नहीं होता वह अनमोल होता हे।

स्कूली शिक्षा के बाद कॉलेज और उसके बाद प्रोफेसनल कोर्स से यही सीखा की किसी पूंजीवाद कम्पनी के लिए कार्य करु। 

ऊपर जो मेने घर पे बनने वाली प्रोडक्ट्स की बात की पहले तो मुझे इतनी क्वॉलिटी वाली प्रोडक्ट्स कोई भी मल्टीनेशनल कम्पनी दे नहीं सकती। ऊपर से घर पे बनई हुई वस्तु ताजा और प्लास्टिक में लपेटे हुई नहीं हे तो पर्यावरण और आरोग्य का जतन, फिर भी माहौल खड़ा किया गया की घर पे महिला यह कार्य करे तो बेकवर्ड।  ऊपर से और पिछले कई दसको से शिक्षा में बताया गया की पुरुषो से महिला तुलना करे और आगे बढ़े। पर वो तो कब के आगे हे, क्योंकि घर सभालना और बच्चे सभालना सायन्स और कला से कम नहीं हे।  
हां यह उलटे यह ज्ञान की शिक्षा का फायदा हुआ तो कम्पनी को बड़े पैमाने पे उनकी ह्यूमन रिसोर्स की डिमांड की पूर्ति ओर उससे भी बड़ा फायदा तो यह की कम्पनी जो वह प्रोडक्ट्स बेचते है वह सब महिलाएं घर पे बनाती थी तो कम्पनी की घटिया प्रोडक्ट्स कोई लेता नहीं था। जब महिला घर पे घी बनायेगी, छाछ बनायेगी, मसाले बनायेगी, अपने बच्चों के कपड़े सी देगी ऐसी ढेर सारी चीज़े ओर जिसमे भी क्वॉलिटी होगी तो बहार से कोण लेगा और क्वॉलिटी की तो बात नहीं कर सकते क्योंकि अपने बच्चो ओर घर के लिये कोई मिलावट वह नही करेगी उसका ध्येय ग्रोथ या प्रॉफिट नही है। अब ऑफिस में काम करने से यह सब कला टूट रही है। कॉरपोरेट का स्ट्रेस कहि ज्यादा है और भारतीय सामाजिक परम्परा के हिसाब से कॉरपोरेट ने भारतीय घर न इधर के रहे न उधर के रहे।

अब कोई और कुतर्क देगा कि ग्लोबल नॉलेज चाहिए तो बता दु ग्लोबल नॉलेज जो डिज़ाइन किया है वह बड़ी कम्पनी के लीये किया गया है। हम को हमारी नजदीकी प्रकृति का पता नही होता ओर सीखने चले है ग्लोबल नॉलेज।

शॉपिंग कल्चर जो पूंजीवाद को मजबूत करने के लीये बनाई गई है। सब रेडीमेड खरीदो अपनी कला और विज्ञानं का नाश कर दो।

इसमे एक मोल में सारी चीज़ें मिलती है, मोल खोलने वाला भी पैसे वाला होता है और मोल में जो माल बिकता है वह तो हजारों करोड़ो की कम्पनिया होती है जो प्लास्टिक में लपेटे अपनी प्रोडक्ट्स बेचके पर्यावरण का सत्यनाश में लगी हुई है।

पर्यावरण को तो नुकसान है ही पर हमारे सबके जेब से पैसा निकल कर जा रहा है अमीरों की जेब मे जो, जो पैसा जा रहा हे वह उनकी बेजिक जीने के लिए या खाने के लीये नही कमा रहे पर दुनिया मे अपना शाशन कायम रखने के लीये कमा रहे है।

अब कोई कुतर्क देगा कि क्वॉलिटी प्रोडक्ट्स होती हे, तो हमसे ज्यादा हमारे लिये कोई अच्छा नही बना शकता या, कोई मल्टीनेशनल कम्पनी या बड़ी कम्पनी कहा से क्वॉलिटी प्रोडक्ट लायेगी, मास प्रोडक्शन में क्वॉलिटी मेंइन्टेन करना असभम्व होता है। कहा से अच्छी क्वॉलिटी का रो मटेरियल आयेगा ओर मास प्रोडक्शन में इतना बड़ा स्टॉक संभालना मुश्किल है ऊपर से उसको प्राकृतिक तरीके से तो ताजा रख नही शकते तो प्रिजर्वेटिव या कोई केमिकल वगेरे वगेरे का उपयोग करेंगे।

कभी हार्वड या स्टैनफर्ड या ऑक्सफ़र्ड में यही कॉर्पोरेट को मजबूत करने की स्ट्रेटेजी, या नई प्रोडक्ट का इन्नोवेशन और उसका सायंस, फिर उसका मॉस प्रोडक्शन। उसका अर्थशास्त्र यही सब पढाई होती हे, दुनिया के बड़े बी स्कुल से कॉर्पोरेट के एजंट ही पैदा होते हे  जो कुछ भी नया सायंस लाएंगे या स्ट्रेटजी वह अर्थशास्त्र असंतुलित करने का ही होता हे क्योंकि उनके वह टेलेंट में मास प्रोडक्शन, मार्किट केप्चर, मॉनिटरी ग्रोथ ही फाइनल ऑब्जेक्टिव होता हे। कभी मटका बनाना सिखया क्यों नहीं सिखाते ? उसके भी थर्मोडायनेमिक होते हे। न आंवले का मुररबा बनाना नहीं शिखाते, हल बनाना नहीं शिखाया गया हे?। ऐसी ढेरो चीज़े हे जो छोटे लेवल पे होती हे, स्वरोजगार और स्वावलंबन हो वह नहीं शिखाते। क्यों वह कला नहीं हे, क्यों वह सायंस नहीं हे?  जिससे लोग अच्छी प्रोडक्ट स्मॉल स्केल पे बना शके नही। वह बहुत बड़ा विज्ञानं हे, बहुत बड़ी कला हे, सस्टेनबल हे, उससे पर्यावरण को कोई नुकशान नहीं हे. कम्प्यूटर बनाया पर ईवेस्टेज की समस्या, एलेक्ट्र्निक यंत्र बनाना शिखाया तो रेडिएशन, पूंजीवाद ने पहले स्वरोजगार से नौकर बनाया जब उनपे डिपेंड हुई तो बड़ी पूंजी से ऑटोमेशन वाली अर्थव्यवस्था ने तो गभीर बेरोजगारी की समस्या पैदा की और उसमें सबको ढालने के लिये सामाजिक व्यवस्था का निर्माण हुआ की नौकरी करे तो अच्छा और उसमे मशीन चलाये तो और अच्छा पर किसके लिए अच्छा। आम लोगो की सामाजिक व्यवस्था जो स्वावलम्बन की हे वह तोड़ दी गयी। 

आदिवासियों की जड़ीबूटियों का ज्ञान या उनका प्रकृति का ज्ञान कई विश्वविद्यालयों से ऊंचा है पर उनको बेकवर्ड बोला गया। ऐसे ही जो महिला घर मे काम करती है उनका ज्ञान भी कई विश्वविद्यालयों से ऊंचा है पर घर मे काम करने वाली महिलाओं को बेकवर्ड बोला गया।

एक उदाहरण दु, मुजे किसी फाइव स्टार होटल में काम करने का मौका मिला, देखा तो जो एक महिला घर जितने प्रकार के व्यजन बना देती है अपने घर मे रहके उतने तो यह बड़े सेफ अच्छी यूनिवर्सिटीज में पढ़के भी नही बना शकते। मेने तो बनाने का प्रकार पूछ लिया पर कॉमर्सियल हे तो थोड़ी फ़ूड सायंस को फॉलो कर पाते। जब घर पे रहके हर चीज़ बनती है वह बिना केमिकल की प्राकृतिक भी होती है तो सोसियोइकोनॉमि के साथ पर्यावरण को फायदा मतलब बड़े बड़े नेता जो खाली भाषण देते है उससे कई बेहतर सस्टेनेबल डेवलपमेंट का प्रेक्टिकल मॉडल पे आम आदमी जीता हे।

अब यह समस्या सिर्फ भारत की नहीं रही पर वैश्विक हे, जितना जल्दी बहार निकलके खुद बचा ले उतना अच्छा और प्रयास खुद ही करना पड़ेगा अगर सरकारे करती तो समस्या ही नहीं होती। इसमें मुझे अमरीकन राष्ट्रपति के रोनाल्ड रेगन के शब्द याद आते हे की सरकार समस्या का समाधान नहीं पर सरकार खुद ही एक समस्या हे।


Wednesday, 9 January 2019

ભારતીય જળ વિજ્ઞાન

  જળ સંસ્કૃતિની જાળવણી અને સંરક્ષણ










બૃહત શિલ્પશાસ્ત્ર મુજબ પાણી માત્ર જ જીવસંસ્કૃતિના ઉદ્ભવ અને અસ્તિત્વ માટે જરૂરી હોતાં માનવીએ નદી, કૂવા, કૂઈ, વાવ, કુંડ, તળાવ જેવાં જળસંચયના સાધનો વિકસાવ્યા અને તેનો નાતો તેની જોડે રહ્યો. વાનરના પૂર્વજ આદિમાનવો દ્વારા વહેતી નદીના જળનો ઉપયોગ જ કરવામાં આવતો હતો.


પ્રત્યેક જીવિત કોશિકાનું આધારભૂત અંગ છે જલ - મૂળ પંચ તત્ત્વમાં પાણીનું સ્થાન અગત્યનું છે. પિંડે તે બ્રહ્માંડે અને બ્રહ્માંડે તે પિંડે એમ કહેવાય છે. માનવ શરીર શરીરમાં ૮૦% પાણી છે. પૃથ્વી પર ૧.૪૦ બિલિયન ક્યુબીક કિલોમીટર પાણી છે. માનવીએ જ્યાં પાણીની વિપુલતા ભાળી ત્યાં વસવાટ કર્યો અને એમાંથી સર્જાઈ જલસંસ્કૃતિ. જલસંસ્કૃતિના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો પાણીના ‘રાસાયણિક’ રીતે બે પ્રકાર છે. (૧) વધુ ક્ષારવાળું અને (ર) ઓછા ક્ષારવાળું.
‘ઔષધશાસ્ત્ર’ની દૃષ્ટિએ પાણીના મુખ્ય બે પ્રકારોમાં (૧) આકાશનું અર્થાત દિવ્ય (ર) ભૂમિ પરનું અર્થાત ભૌમ. આકાશમાંથી વરસતા પાણીને ચાર પ્રકારમાં વર્ણવ્યા છે. (અ) ધારાજ-વરસાદનું પાણી સીધે સીધું કોઈ પાત્રમાં ભરી લેવામાં આવે તેને ધારાજ પાણી કહે છે. (બ) કરકાભવ-બરફના ગાંગડાના સ્વરૂપમાં વરસતું પાણી એટલે કરકાભવ. (ર) તૌષાર-નદી, પહાડ, આસપાસ વાતાવરણમાં ઉષ્ણતામાનનું પ્રમાણ એકાએક ઘટી જવાથી જામતા ઝાકળ કે ઔસબિંદુઓ એ તૌષાર જળ કહેવાય છે, પરંતુ તે બહુ ઉપયોગમાં (ડ) હેમજલ - ઊંચી પર્વતમાળાઓ પર રહેલા બરફ (હીમ) ઓગળતાં થતું પાણી હેમજલ કહેવાય છે.
બૃહત શિલ્પશાસ્ત્ર મુજબ પાણી માત્ર જ જીવસંસ્કૃતિના ઉદ્ભવ અને અસ્તિત્વ માટે જરૂરી હોતાં માનવીએ નદી, કૂવા, કૂઈ, વાવ, કુંડ, તળાવ જેવાં જળસંચયના સાધનો વિકસાવ્યા અને તેનો નાતો તેની જોડે રહ્યો. વાનરના પૂર્વજ આદિમાનવો દ્વારા વહેતી નદીના જળનો ઉપયોગ જ કરવામાં આવતો હતો. નદીઓ બે પ્રકાર છે. બારમાસી અને ચોમાસાની સીઝન દરમ્યાન વહેતી નદીઓ.
આદિમાનવ સંસ્કૃતિના વિકાસમાં ડગ મંડાતા તે સભ્ય સમાજમાં પરિવર્તિત થવા લાગ્યો અને તેણે જૂથો બનાવી પાણીની વિપુલતાવાળા વિસ્તારોમાં નદી પહાડોના ઢોળાવો પર વરસતા વરસાદના વહેતાં પાણીને એક જગ્યાએ એકઠું કરી તળાવ સ્વરૂપે સંગ્રહ કરી તેના કાંઠે પોતાનો વસવાટ શરૂ કર્યો.
તળાવ : તળાવ શબ્દ સંસ્કૃત પરથી બનેલો છે. તળાવોને કુદરતી અને માનવસર્જિત એમ બે વિભાગોમાં વહેંચી શકાય. કુદરતી તળાવને અંગ્રેજીમાં લેક અને માનવસર્જિત તળાવને ટેંક કહે છે.
પ્રાચીન શિલ્પશાસ્ત્ર મુજબ તળાવના છ પ્રકારો છે. (૧) અર્ધ ગોળાકાર (ર) સંપૂર્ણ ગોળાકાર (૩) માલસર (૪) ચતુષ્કોણ (પ) ભદ્ર અને (૬) સુભદ્ર.
સૌરાષ્ટ્રમાં ર૦૦૦ જેટલા ગામોમાં તળાવો છે. કચ્છમાં ૬પ૦ ગામોમાં ઉત્તર ગુજરાતમાં રપ૦૦ ગામોમાં અને મધ્ય ગુજરાતમાં ૯૦૦ ગામોમાં ગામ તળાવો છે. તળાવ બાંધકામોનો ઈતિહાસ જોઈએ તો જૂના જમાનામાં રાજા-મહારાજાના નામ પરથી તળાવો બંધાતા ૧૧ મી સદીમાં ભોપાલમાં રાજા ભોજે ‘ભોજનતાલ’ તળાવ બનાવડાવેલું. જેમાં નાના મોટાં ૩૬પ નદી-નાળનાં પાણી આવતા. આ તળાવનો ફેલાવો રપ૦ ચોરસ માઈલ હતો. જામનગરનું લખોટા (રણમલ) તળાવ ૬.પ૦ લાખ ચોરસ મીટરનો ફેલાવો ધરાવે છે અને ૪૦ મિલિયન ક્યુબીક ફીટ પાણી સંગ્રહ થાય છે. ગોંડલના મહારાજા ભગતસિંહે ૧૦૦ વર્ષ પહેલાં ‘વેરી’ તળાવ બંધાવેલું. ખડીરના બાંભણકા ગામે બ્રાહ્મણોએ તળાવ બંધાવ્યું તો લોરિયા ગામે સારસ્વત પરિવારની એક મહિલાએ જીવનભરની બચત પૂંજીમાંથી તળાવ બંધાવી ઈતિહાસ સર્જ્યો છે.
તળાવનું સંરક્ષણ, જાળવણી જોઈએ તો જામનગરના લખોટા તળાવમાં ભરાઈ ગયેલ ૧પ ફુટ કાંપને રૂા. ૪.પ૦ કરોડના ખર્ચે લખોટા જળસંચય અભિયાન સમિતિએ લોકફાળાથી પૂર્ણ કરેલ. ગોંડલના વેરી તળાવમાં પણ ભરાયેલા ર૮ ફુટ કાંપને ધાર્મિક સંપ્રદાયો અને શહેરીજનોએ સાથે મળી લોકસહયોગથી સફાઈ કરી તાજેતરમાં ભુજના હમીરસર તળાવ સફાઈ અભિયાન લોકો દ્વારા પૂર્ણ કરાયું છે. કચ્છનું નારાયણ સરોવર, વડનગરનું શર્મિષ્ઠા તળાવ, ડાકોરનું ગોમતી તળાવ વગેરે ધાર્મિક રીતે પવિત્ર સ્થાન ગણાય છે.
કૂવા : ભૂગર્ભજળના વિપુલ જળસંપત્તિના ઉપયોગ માટે ખોદેલા ગોળ ઊંડા ખાડાને કૂવો કહે છે. બૃહત શિલ્પશાસ્ત્રમાં ચાર હાથથી માંડી તેર હાથા સુધીની પહોળાઈનો કૂવો કરવાનું કહેવાયું છે. જુદી-જુદી પહોળાઈ મુજબ તેના નામ ‘શ્રીમુખ’ વૈજ્ય, પ્રાંત, દુંદુભિ, મનોહર, ચુડામણિ, દિગભદ્ર, જયનન્દ, શંકર કહેવાયા છે.
વિવિધ પ્રકારના કૂવાઓમાં મશરૂ કૂવા (અમદાવાદમાં આજથી પ૦ વર્ષ પહેલાં બંધાયેલ છે) કેડિયા, કોશિયા કે રેંટિયા હવાડો અર્થાત એરિયા, નવઘણી કૂવો.
કૂઈ : જૂના જમાનામાં સ્થપાયેલા નગરોમાં એક કુટુંબની જરૂરિયાતને ઘર વપરાશનું પાણી પૂરું પાડવા નિર્માણ કરાયેલા સાધનને કૂઈ કહે છે. જે કૂવાની પહોળાઈ ચાર હાથથી ઓછી હોય તેને કૂઈ કહેવાય છે. કચ્છના હબાય વિસ્તારમાં કોટાય શિવ મંદિર પાછળ ખીણમાં સૂરજ કૂઈ આવેલી છે. વડોદરામાં જૈન દેરાસરમાં, જંબુસરમાં કહાનવા ગામ પાસે કલ્યાણદાસ મહારાજના બંગલામાં, જૂનાગઢ જિલ્લામાં બીકથાની ધાર પાસે નવઘણ કૂઈ રા’નવઘણની યાદમાં હયાત છે.
વાવ : ગુજરાતમાં વાવ (વાપી) નિર્માણનો ઉલ્લેખ લગભગ ૧૦મી સદીથી મળે છે. એકબાજુથી ઉતરવાના પગથિયાં હોય તેને વાવ કહે છે. આર્થિક દૃષ્ટિએ વાવ બાંધકામ કરાવવા કરતા કૂવો બાંધવો સસ્તો પડે છે, તેથી જ કહેવાય છે કે ‘પાંચ કૂવા બરાબર એક વાવ’ લોકવાયકા છે કે જ્યાં સુધી વાવ હોય ત્યાં સુધી પુણ્ય તપે કેટલીક વાવ ભૂગર્ભ મહેલ જેવી હોય છે. તેમાં કૂવાને તળિયેથી બે-ત્રણ માળ બાંધી મથાળે ઘુમટ રચેલો હોય છે. વાવનું કેન્દ્રસ્થાન કૂવો હોય છે. વાવના સાત પ્રકાર છે. (૧) એક મુખી - નન્દાવાવ (ર) બે મુખી-ભદ્ર વાવ (૩) ત્રી મુખી-જયા વાવ (૪) ચાર મુખી-વિજ્યા વાવ (પ) બત્રીસ હાથ લાંબી-દીર્ધિકા વાવ (૬) ભોલરી વાવ - અંદરના પહોળા ભાગ વાળી (૭) જીવતી વાવ-અખૂટ પાણી વાળી.
વઢવાણની માધા વાવ, અડાલજની વાવ, મોઢેરાની વાવ, અમદાવાદની નલિકસાબાની વાવ, પાટણની રાણી વાવ, પાવાગઢની ગેબલશાની વાવ, ચાંપાનેરની સદનશાહની વાવ, વડોદરાના સેવાસી ગામે સેવાસીની વાવ, દક્ષિણ ગુજરાતની ભરૂચ, સુરત, વલસાડની વાવો પ્રખ્યાત છે.
કૂવા અને વાવ વચ્ચે ફરક એટલો છે કે કૂવામાંથી પાણી સીંચીને બહાર કાઢવું પડે છે જ્યારે વાવમાં ઉતરવા માટે પગથિયા હોય છે.
કુંડ : હિન્દુ મંદિરોમાં જ્યાં નદી કે તળાવ ન હોય ત્યાં કુંડ બાંધવાનો રિવાજ છે. મોટા મંદિરોમાં દર્શન કરતાં પહેલાં કુંડમાં સ્નાન કરીને યાત્રિકો દેવાલયમાં જાય છે. જે કુંડ ચોરસ હોય તેને ભદ્ર કહે છે. સમુદ્ર, નન્દ, પરિઘ કુંડના અન્ય પ્રકારો છે. કપડવંજમાં કુંડ બારમા સૈકામાં બંધાયેલા છે. ખેડા, પેટલાદ, કાણીસા, ભાવનગર જિલ્લાના સિંહપુરમાં કુંડ આવેલા છે જ્યારે શંખેશ્વરમાં લોધિકેશ્વર શિવમંદિર પાસે આવેલા પાંચ પાંડવ કુંડ સોલંકીકાળ કરતા પણ પહેલા બંધાયેલો હોવાનું મનાય છે. કચ્છના પાટનગર ભુજમાં રામકુંડ રાજા રામના જીવનપ્રસંગ કથા સાથે સંકલાયેલ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.
આમ ઉપરોક્ત જલસંગ્રહના ઉપાયો બાદ હાલના યુગમાં પાણી સંગ્રહ માટે ટેંક બાંધવામાં આવે છે. જે અમુક વિસ્તારોની પાણી જરૂરિયાત માટે બનાવાય છે જ્યારે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિતરણ તથા સિંચાઈ સવલત માટે સિંચાઈ યોજનાઓ, બંધ, ચેકડેમો બાંધવામાં આવે છે.
હવે આ જલસંચયના સાધનોમાં ફક્ત ગુજરાતની વાત કરીએ તો ૧૮૦૦૦ થી વધુ ગામડાઓ વચ્ચે રપ૦ થી વધુ વાવ, પ૦૦૦ તળાવો કૂવાઓ જેવા પરંપરાગત પ્રતિકસમા જળાશયોની જે વિશિષ્ટ સ્થિતિ સંજોગોમાં વિશેષ ઉપયોગી પુરવાર થયા છતાં તેમની જાળવણી જેમ જેમ ઘટતી ગઈ તેમ આવા જળાશયો બિનઉપયોગી થતા ગયા અને જળસમસ્યાઓ વધતી ગઈ છે. આવા સંજોગોમાં પરંપરાગત જળસંચયના સાધનોની જાળવણીમાં લોકભાગીદારીની મદદથી જળસમસ્યાનો સફળ સામનો કરવાનો પરિણામદાયી માર્ગ છે
ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર, નેશનલ ડેરી ડેવલપમેન્ટ, આગાખાન રૂરલ સપોર્ટ સેન્ટર, ઈન્ડિયા, કચ્છ નવનિર્માણ અભિયાન જેવી સંસ્થાઓએ જલ કર્મશીલો તરીકે પ્રોત્સાહનરૂપ કામગીરી કરી છે.
છેલ્લા પ૦ વર્ષના જલસંગ્રહસ્થાનોની જાળવણી, સંરક્ષણના પ્રયાસો જોઈએ તો વર્ષ ૧૯૭૧ ની બીજી ફેબ્રુઆરીના ઈરાનના રામસર શહેરમાં ૮૭ દેશોનાં પ્રતિનિધિઓની મળેલી પરિષદમાં જળભૂમિ ક્ષેત્રો (વેટલેંડ) નું પર્યાવરણીય, આર્થિક અને સાંસ્કૃતિક મહત્ત્વ સ્વીકારી તેને જાળવવા અને સંરક્ષણ થવા સંધી સંધાઈ. વર્ષ ૧૯૯ર માં કેન્દ્ર સરકાર દ્વારા બંધારણમાં ૭૩ અને ૭૪ માં સુધારાઓ કરી, પીવાના પાણી પુરવઠા, લઘુ સિંચાઈ, જળ વ્યવસ્થાપન અને જલાશયોના વિકાસને લગતી બાબતો માટે સ્થાનિકે ગ્રામ પંચાયતોને સત્તા સોંપી રર મી માર્ચ વિશ્વ જળ દિવસ ઉજવવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વર્ષ ૧૯૯૩ થી નક્કી કરાયું. જે મુજબ વર્ષ ૧૯૯૪ માં આ દિવસ વિશ્વના વોટર રિસોર્સિસની સંભાળ લેવાના વિષય અનુરુપ ઉજવાયો.
વર્ષ ર૦૦૩ માં વિશ્વ જળ દિવસ રર મી માર્ચના બીજા દિવસથી એટલે કે ર૩ મી માર્ચ સુધી જાપાનના ક્યોટો શહેરમાં વર્લ્ડ વોટર ફોરમમાં ૧૮૦ દેશોએ ભાગ લીધો, જેમાં વર્લ્ડ વોટર કાઉન્સિલે જળ સંગ્રહ સાધનોની જાળવણી તથા પોલ્યુશન અટકાવવાના મુદે કુલ્લ ૧૧ મુદાઓ પૈકીનો એક હતો.
હાલમાં વિશ્વમાં જ્યારે પર્યાવરણ અસમતોલ થયું છે ત્યારે વૃક્ષછેદન વધ્યું છે અને પાણી સંગ્રહ ઘટ્યો છે. વર્ષ ર૦૦૩ ના એક અહેવાલ મુજબ વિશ્વમાં દરરોજ ર લાખ ટન ઘન કચરો નદીઓ અને તળાવોમાં ઠલવાય છે. આ ઉપરાંત ૯૦% ગટર તથા ૭૦% ઔદ્યોગિક બગાડો પણ કોઈ ટ્રીટમેન્ટ વગર જળસંગ્રહ સ્થાનોમાં ઠલવાય છે, જે રોકવા અતિ કડક કાયદાકીય નિયમકન લાગુ થવું જરૂરી છે.
પાણી સંબંધી કાયદા જેવા કે વોટર સેસ એક્ટ-૧૯૭૭, ધી વોટર એક્ટ-૧૯૭૪, ધી વોટર રૂલ્સ ૧૯૭પ વગેરે કાયદાકીય જોગવાઈઓ પણ અમલમાં મૂકાઈ. આમ આગળના ઈતિહાસમાં જોઈએ તો મનુસ્મૃતિ અને વિષ્ણુસૂત્રમાં પણ પાણીની ચોરી માટેની સજાનો ઉલ્લેખ છે, તેમજ કૌટિલ્યના ઈતિહાસમાં પણ જળાશયોની જાળવણીની નિષ્ફળતા માટે જવાબદારને દંડની જોગવાઈની વિગતો છે.
વિશ્વમાં હાલના પાણી વપરાશની ગણતરીએ જોઈએ તો ર૦ર૦ સુધીમાં હાલના પાણીના ઉપયોગમાં ૪૦% જેટલો વધારો થશે તેવો અંદાજ છે. આ સામે હયાત જળ સંશાધનોની જાળવણી સુરક્ષા અતિ મહત્ત્વની છે.
પાણીના ૧૦૦ ટકામાંથી ૭૦ ટકા ખેતીવાડીમાં, ર૦ ટકા ઉદ્યોગો, ૧૦% ઘર વપરાશમાં વપરાય છે. ખેતીવાડી માટેનો ૭૦%નો ૯૩.૦પ ટકા હિસ્સો ઉદ્યોગોમાં, ર૦ ટકાનો ૩.૮% અને ઘર વપરાશમાં ૧૦% નો ર.૭પ% હિસ્સો ઉપયોગ થાય છે. બાકીની ટકાવારી વ્યર્થમાં બગાડ થાય છે. આ ગંભીર બાબત છે. ઘર વપરાશમાંથી બહુમૂલ્ય પાણી વ્યર્થ વેડફીએ છીએ. જળ સંસ્કૃતિની જાળવણી આપણી ફરજ છે.

સ્વાસ્થ્ય સંવાદ

સ્વાસ્થ્ય સવાંદ ગ્રુપ ની તારીખ 18 - Aug - 20, સાંજે 8.30 થી 10.00 વાગ્યા સુધી સ્વસ્થ કેમ રહેવું અને આહાર વિહાર માં જે કાળજી લેવી એના પર હું ...