Saturday, 20 October 2018

શુ શીખવુ તને તારા થી શીખવાનું ઘણું.









શુ શીખવુ તને તારા થી શીખવાનું ઘણું.

સત્ય તું, અહિંસા તું, બ્રહ્નચર્ય તું, અપરિગ્રહ તું, અસ્તેય તું. 

પંતજલી નું તું હસતું રમતું યોગસૂત્ર તું. મહાવીર, બુદ્ધ નો ધર્મસંદેશ તું, કૃષ્ણ ની લીલામૃત તું. 

માનવતા ના દર્શન તુજ માં થાય
શાંતિ ના દર્શન તુંજ માં થાય
શાશ્વત પ્રેમ દર્શન તુજ માં થાય
અમે શુ શીખવીએ તને જ્યાં સત જ્ઞાન ના દર્શન તુજ માં થાય.

લોભરહિત તું, વિકારરહિત તું
મોહરહિત તું, અહંકારરહિત તું. 

દરેક બાળ ના હોય છે આ ગુણો, સમય સાથે વિસરાઈ જાય ઘણા.

વણજોઈતી ચિંતાઓ વધે જ્યારે દુર્ગુણો સદ્દગુણો ઉપર સવારી કરે. 

હું તો હજી પ્રયાસરત છુ આ તુજ ગુણ કેળવવા. સદાય આ ગુણો ધારણ કરી રહે એ જ આશિષ છે તને. 

શુ શીખવુ તને તારા થી શીખવાનું ઘણું.







Friday, 19 October 2018

ક્ષણ ની રાહ સૈકાઓની સેર




આસો સુદ દશમે તમે પધાર્યા મારે ઘેર
ક્ષણભર ની પણ રાહ જોતો તો લાગતું સૈકાઓ ની સેર.

જીજાબાઈ જેમ જોવે શિવાજી ની વાટ
એવી હતી એ ક્ષણ ની મુજ હાલાત

આતમ વીંઝે પાંખ, દરિયો ડોલે આજ,
મનનો ઉમટે મહાસાગર કોણ કરે એને શાંત.

એજ પ્રાર્થના કરતો કે વીજળી ના ચમકારા ની જેમ આવો
પુષ્પ ની સુંગંધ પ્રસરાવવા આવો

જગ ને તમારી જેમ સુંદર બનાવવા આવો
માનવતા ના પ્રેમ સઁદેશ માટે જલ્દી આવો

માતમ ની કૂખ માં લીધું તમે અનેરું જ્ઞાન, એમાં સૌથી ઊંચું હશે મમતા ની પ્રીત નું જ્ઞાન.

એ પ્રીત થી જગ ને બાંધવા આવો. 

Thursday, 18 October 2018

પ્રકૃતિ નો ઉદય મારા આંગણે






અમારુ પ્રતિબિંબ અમારા આંગણે આવ્યુ છે., 
સૂક્ષ્મ થી વિરાટ સ્વરૂપની ક્રિયામાં રત થઈ રહ્યું છે. 

તારા દૈવીગુણો અમે પણ ધારણ કરીશું, તારી સાથે સદાય જગકલ્યાણના નવનીત કાર્ય કરીશું.

આપણે સુંદર વિશ્વ નું નિર્માણ કરીશું, જીવનને સદકાર્યો માં લગાવી જીવન ને યથાર્થ બનાવીશું.

પ્રાકૃતિક જીવન જીવીને પ્રકૃતિમય બનીશું, આપણે પ્રકૃતિ ને પ્રફુલ્લિત કરીશું. 

સૃષ્ટિ ના દરેક જીવમાત્ર માટે સંવેદનશીલ બની દરેક સાથે ન્યાય કરીશું, જગ માટે પ્રેમ, કરુણા અને સ્નેહ વરસાવીશું.

લોકસેવા માં જીવન સમર્પિત કરીશું, દરેક કાર્ય પ્રભુ ને અર્પણ કરીશું. 

પ્રભુ શ્રી રામ ની કૃપા થી કૃષ્ણ લીલામૃત પ્રગટ કરીશું. ગણેશજીની ના આશીર્વાદ થી સદકાર્યો ની શરૂઆત કરીશું. 

ચીંદાનંદ, નિજાનંદ રહી સદાય બ્રહ્માનંદ સ્વરૂપ માં આત્મસાત થઈશું. પ્રભુ ની સૃષ્ટિ ને વાત્સલ્યરૂપ બનાવીશું.

પ્રભુ ના કલ્યાણકારી સેવક બની જીવન વિતાવીશું, જીવન ને સત્યમય, શિવમય અને સુંદરમય બનાવીશું.



Sunday, 14 October 2018

स्वावलंबन से स्वदेसी - घर से ही एक पहल





गांधीजी ने जब चरखा थमाया तो कपड़े पे हम स्वावलंबी हो गये और मिलो के कपड़े और पूंजीवाद का साम्रज्य हिलने लगा। उनका स्वदेसी स्वावलंबन पे था न कि कोई देश की कम्पनी से रेडीमेड लेने में।

आज सब भाइ ओर बहने अगर जैसे कभी हमने चरखा चलाया था वैसे दंतमंजन पे स्वावलंबी हो जाये तो स्वदेसी राज फिर से आ शकता है।

दंतमंजन कैसे घर मे बनाना है , कुछ बात यहाँ रखता हूं।


- तुलसी टूथ पाउडर

तुलसी की कुछ पत्तियां लेकर  सुखा लें। पीस कर एक जार में रख दें। इस पाउडर से रोज ब्रश करें। आप चाहें तो अपनी उंगली इस्तेमाल सकते हैं।

- हल्‍दी का दंत मंजन

हल्दी का मंजन दांतों के लिए बहुत उपयोगी होता है। मंजन बनाने के लिए हल्दी की गांठ को धीमी आंच पर भूनकर इसे बारीक पीसकर कपड़े से छान लें। अब इसमें थोड़ा-सा सेंधा नमक मिलाकर सुबह व शाम को भोजन से पूर्व इसका मंजन करें। आपके दांतों से जुड़ी सभी परेशानियां इससे दूर हो जाएंगी।

-काली मिर्च और सोंठ

यह मुंह की दुर्गन्‍ध को दूर कर दांतों को साफ रखता है। सोंठ, काली मिर्च, पीपर, हरड़, बहेड़ा, आंवला, दालचीनी, तेजपत्र तथा इलायची का बराबर मात्रा में चूर्ण लेकर इसमें थोड़ा-सा सेंधा नमक तथा तिल का तेल मिलाकर पेस्ट बना लें।

- सरसों के तेल का दंत मंजन

इसे बनाने के लिए 60 मिलीलीटर सरसों के तेल में 5-6 लहसुन की कलियां पीसकर गर्म करें। अब इसमें 30 ग्राम भुनी हुई अजवायन और 15 ग्राम सेंधानमक मिला लें। मंजन तैयार है।

- बादाम के छिलकों का मंजन

बादाम के छिलकों से बना मंजन दांतों को चमकाने के काम आता है। 20 ग्राम बादाम के छिलकों की राख, 20 ग्राम माजूफल, 20 ग्राम सेंधा नमक, 3 ग्राम अजवाइन और 3 ग्राम अफीम सभी को पीसकर महीन पाउडर बना लें।

- मसूर की दाल

दांतों में पीलापन दूर करने के लिए मसूर की दाल काफी लाभदायक है। इसके लिए मसूर की दाल को जलाकर इसकी राख को बारीक पीसकर मंजन बना लें। दिन में दो बार इसका उपयोग करें। दांत साफ और चमकदार होंगे।

- नीम के फायदे

नीम के मंजन से दांत साफ, चमकदार और मजबूत बनते हैं। दांतों में कीड़ा भी नहीं लगता। नीम की टहनी को पत्तियों सहित छाया में सुखाकर आग में जला लें। अब इसकी राख में लौंग मिलाकर पीस लें और दंत मंजन तैयार है।

- तेजपत्ते का दंतमंजन

तेजपत्ता दांतों पर जमे पीले और काले रंग के मैल को खत्म कर दांतों को साफ तथा चमकदार बनाता है। इसको बनाने के लिए तेजपत्ता को बारीक पीसकर उसमें थोड़ी सी पिसी हुई हल्‍दी और 5 ग्राम भुनी हुई फिटकरी को बारीक पीसकर मिला दें। रोज यह मंजन करके देखें, दांत चमक उठेंगे।

हा पर दुनिया का सबसे बड़ा जुठ मत बोलना अपने आपसे की समय नही है।बोलना की करने की इच्छा नही है क्योंकि टीवी देखना है, क्रिकेट देखना है ओर पूंजीवाद को मजबूत बनाना है।

इसमे से मैने काफी किया है, में कई साल से टूथपेस्ट नही करता ओर ऐसे कई चीज़ों में हम स्वनिर्भर होके मार्किट इकोनॉमी को चुनोती दे शकते है जिसमे अमीर अमीर होता जा रहे है, पैसा सब के केंद्र में होके पूरी अर्थव्यवस्था नियंत्रित होती जा रही है।

ओर कोनसी चीज़ों में हम स्वनिर्भर हो शकते है तो खुद का इलाज काफी हद तक घरेलू नुस्खे से कर शकते है जो मेने भी किया है और सफल भी रहा हु। क्योंकि कई डॉक्टर का कहना है कि मॉडर्न मेडिकल सिस्टम एक बिज़नस बन चुका है जिसमे आपके हेल्थ से नही पेसो से मतलब है।

ज्यादातर चीज़े घर मे बनाना जैसे मुल्तानी मिट्टी या चने के आटे से नहाना, घी घर पे ही बनाना, छाछ घर पे ही बनाना, दही घर पे बनाना, खाने की ज्यादातर चीज़े घर पे ही बनाना जिसमे मिलावट न हो और शुद्धता ऐसी की ऐसी रहे।

इससे आगे और भी अपनी जरूरत के मुताबिक चीज़ों पे खुद करने की। जरूरत की चीज़ सारी हो सकती है इच्छा ओ की नही ओर इच्छा दुख देंगे तो अपनी जरूरत समझ ले, स्वावलंबी जितने उतने हो शके।

जब खुद बनाएंगे तो एक कला भी विकसित होगी जो एक अलग सा आनंद होता है जो आप अनुभव कर सकते हो। में वर्णन नही कर सकता क्योंकि मेने वह अनुभव किया है। एक छोटा सा उदाहरण दे सकता हु की में पहले अपने ब्लॉग पे रेडीमेड चित्र का उपयोग करता था पर जब मैने बनाने शुरू किये तो एक कला निखरी ओर उसका आनंद शब्दो मे नही कोई मोल नही दे सकता।


आप भी अपने लेवल पे जितना ज्यादा हो शके उतना कर शकते। क्योंकि यह सिस्टम में हर कोई फसा है तो 100 प्रतिशत तो नही पर अपने लेवल पे जितना स्वावलंबी हो उतना खुद के लिये, समाज के लिये अच्छा और देश एवम दुनिया के भी अच्छा। 

Thursday, 13 September 2018

આયો ગાંધી....








આયો ગાંધી, આયો ગાંધી, ગાંધી રે આયો...
 એ લાયો આંધી

નવજુવાન ની અંદર એ તો સત્યાગ્રહ નો જુસ્સો લાયો
વૃધ્ધો માં પણ વૃદ્ધિ નહિ દેખાય
ત્યાં તો આપણે વચ્ચે આ પ્રબુદ્ધ આયો

પ્રેમ કરુણાની વત્સલ્યમૂર્તિ બની જગ ને પ્રીતથી બાંધવા આયો
    અસત્ય ને ડામવા આ તો સાથે અનેક પ્રયોગ લાયો
આયો ગાંધી...

યોગીઓ જ્યારે વનો માં શાંતિ માં લિન થાય 
ત્યારે આ કર્મયોગી તો સમાજ માં શાંતિ સ્થાપતો જાય
આયો ગાંધી...

સૈકાઓ વીતી જાય પણ એની છાપ રે ના મિટાય
આ તો અલગ માટી નો માનવી રે ગણાય
આયો ગાંધી..

જ્યાં એના પદચિહ્ન પડતા જાય, એ તો ધરા ધન્ય થાય
હવે એને કેમ ભુલાય એતો સ્મરણપટ અંકિત થતો જાય
આયો ગાંધી..

સત્ય અહિંસા ની આંધી કરતો જાય, એ તો પ્રેમ ના પાઠ ભણાવતો જાય,
એને તો પોતાના જોખમે રે ભુલાય
આયો ગાંધી...

મરવાની બીકે લોકો ભાગી જાય,  ત્યારે એ તો મોત ને ભેંટવા જાય,
 એ નો તો સમાજ માં આદર્શ રે સ્થપાય
આયો ગાંધી..

વિશ્વ કલ્યાણ માટે જો એને જીવન માં ઉતારાય
બધી સમસ્યાઓ આપમેળે વિસરી જાય
તો તો રામ રાજ્ય સ્થપાય

આયો ગાંધી...

Monday, 3 September 2018

અંતર નો રસ









અંતર નો રસ વહે છે,
કઈક દિવ્યતા તને કહે છે,
નકારવાની ભૂલ કરતો નહિ,
જીવન આમ જ ગુમાવતો નહિ.

અનેક ગ્રંથોએ કહી છે એક જ વાત,
જીવનની છે કઈક ખાસ વાત,
મનોવમળ માં ફસાતો નહિ,
જીવન અમથો ગુમાવતો નહિ.

નથી મળતી આ બધા ને તક,
વિરલાઓને પણ પાર કરતા લાગે છે ભવ,
આંગળી ચીંધી કહે નહિ કોઈ,
મનના દ્વાર ખોલી નહિ આપે કોઈ.

દ્રઢસંકલ્પ પરમ પુરુષાર્થની છે આ વાત,
ભૌતિકજગત ને આપી દે તું માત,
કઠીનાઈ ભર્યો છે આ માર્ગ,
પણ શુરા ઓની શુ કરવી વાત... 

Wednesday, 15 August 2018

गुलामी की व्यवस्था में कैसे मनाये आज़ादी??





पंद्रह अगस्त को अंग्रेज भारत छोड़े, अंग्रेजियत नही। वह तो ओर भी मजबूत होती गई।

यह  जो  चित्र हे बहुत कम देखने को मिलता हे इसको आर्थिक तरिके से नहीं पर भावना से देखा जाये, यह मेरे देश का हे, और गांव में दिखने को मिलता हे, शेहर में नहीं, जिसे पिछड़ा बताया गया. क्योंकि यह मेरे देश  की भूषा हे, यह मेरे देश का स्वदेसी मकान हे, जिसमे कोई कोर्पोरेट का  सेमेंट या  स्टील का उपयोग नही किया गया. यह सादगी और सरलता नजदीकी प्रकृति के हिसाब  से  जीने का हमारा ढंग हे।

सायद मेरे बात पे कुछ बुद्धिजीवियों को हसना आएगा, क्योंकि पिछले दोसो साल में दिमाग में भर दिया गया की  यह सब पिछड़ापन हे, में सूट टाई पहुनु, अंग्रेजी बोलू, बड़े बगंले में रहु तो ही में विकसित. मेरे देश में भगवान श्री राम, बुद्ध, महावीर, नानक, गांघीजी सब ने तो यही पोशाक पहने थे. सब लोग जनभाषा ही तो बोले थे, सब सादगी में तो ही जिए थे, सब के घर न महलो के थे पर कुटिया ही तो थे, इस देश की संस्कृति सादगी और अपरिग्रह पे हे तो उसको अब क्यों पिछड़ापन मान लिया।

हम तो आज़ादी इसी के लिए तो लड़े थे के सब चीज़े स्वदेसी हो, स्वराज हो ,अपनी हो फिर यह आज़ादी की बाद क्यों नया नाटक शुरू हो गया की  भाषा, भूषा, भोजन सब उनका इतना फैला की इतना कभी नही था अब यह लगने लगा कि हमारी सभ्यता ही विदेशी लग रही है।

हमारा निम् का दातुन या मंजन छोड़के टूथपेस्ट करने लगे और हम आज़ाद हो गये। (टूथपेस्ट पे उनके देश मे ही केस चल रहा है स्वास्थ को हानिकारक गिनके)।

गांव तोड़ के शहर बसाने लगे और हम आजाद हो गई।

हमारी अपनी भाषा ही अब पराई लगने लगी और हम आजाद हो गये।

हमारा स्वास्थ्य वर्धक खाना छोड़ के विदेशी भोजन खाने लगे और हम आजाद हो गये।

हमारी जड़ीबूटीयो को छोड़के विदेशी दवा खाने लगे और हम आजाद हो गये।

हमारी गाय आधारित कृषि छोड़ के उनकी जहरीली प्रकार की तथाकथित मॉडर्न कृषि की जमीन को और किशान को बर्बाद किया और कह ने लगे की हम आज़ाद हो गये।

हमारी प्रकृति के हिसाब से कपड़े पहनना छोड़ा और उनके कपड़े पहने और फिर बोल रहे हे की आज़ाद हो गये।

हमारी बैलगाड़ी छोड़के बड़ी कार घरो में भर दी गयी, ग्रामोद्योग को तोड़के बड़े कारखाने लगाए गये और फिर बोले की प्रकृति का संतुलन नहीं रहा

हमारे खेल को छोड़ के उनके खेल को तो इतना गले लगाया की खिलाडी को भगवान बना दिया जो पर्यावरण की और स्वास्थ्य को नुकशान करने वाली प्रोडक्ट्स को उपभोग करने के लिए दिनरात विज्ञापन करते हे और हम आज़ाद हो गये।

हर गांव में नट थे जो गांव का मनोरंजन करते थे, अच्छे विषयो पे नाटक करते थे, रामलीला होती थी पर उसमे भी केन्द्रीकरण करके बॉलीवुड के नट को करोड़पति बनाया जिनका भी मुख्य काम अश्लीलता फैलाना, पेसो  लिये  फालतू प्रोडक्ट्स का विज्ञापन करना और लोगो को बुरी आदत लगाना जिससे गांव गांव के नट भूखे मरने लगे और हम बोलते ही की आज़ाद हो गये। 

उनके विकास की नकल करने की, वह खड्डे में गिरे तो हमको भी गिरने का, यह सब तो गुलामी की निसानिया हे।

कानून सब अंग्रेजो के, इंडियन फारेस्ट एक्ट हो या इंडियन हाई कोर्ट एक्ट, या फिर भारत का बंधारण ही सही जो गोवर्नमेंट ऑफ इंडिया एक्ट 1935 के हिसाब से बनाया जिसमे पूर्ण केंद्रीकरण, न गाव को कोई सता, देखके तो यही लग रहा है कि गांधीजी के ग्राम स्वराज की हत्या तो आज़ादी के बाद काले अंग्रेज ने ज्यादा की गोरे अंग्रेजो से।

हमारे इतने महान राजा हुए उनके प्रशासन की पद्धति इतनी खराब थी क्या कब कुछ भी नही लिया। न शिवाजी का, न विजयनगर का, विक्रमादित्य का।

देश के जनता को ऐसे बेवकूफ बनाया गया कि वह तो राजा शाही थी। जबकि अंग्रेजो के दस्तावेज कहते है थी हर गाँव पूर्ण लोकशाही थी और राजा कभी दखलंदाज़ी नही करता था। अब तो सब निर्णय तो संसद लेती हे, प्रजा के पास तो कोई हक नहीं की उनके गांव में रेवेन्यू का कलेक्शन और उसका खर्च वह करे। अंग्रेजो की बनाई रिज़र्वे बैंक अभी भी चल रही पुरे देश का मनी फ्लो का नियत्रण उनके पास वरना बार्टर सिस्टम से अर्थतंत्र मुक्त था स्वावलम्बी था और वही ग्राम स्वराज था न की इतना गुलाम।

आज भी फालतू चीज़ों का व्यापार या लूंट कहे तो सब विदेशी कम्पनी, सरकारी कम्पनी या विदेशी ढंग से चलने वाली देश के पूंजीपतियों की कम्पनी की व्यवस्था चलती है। उपभोक्ता वाद की संस्कृति को विकास मान लिया गया और और बड़ी कम्पनी के प्रोडक्ट्स के गुलाम बनाया गया  और बताया गया की हम आज़ाद हो गये।


Sunday, 12 August 2018

હે મન શાંત થઈ જાને...









હે મન શાંત થઈ જાને...

અનંત વિચારો ને ડામવા
    ઘડી ભર શાંત થઈ જાને.

દેખ તું કઈ ભૂમિ પર ઉભેલ છે,
 હજારો વર્ષની શાંતિ અશાંતિ નો આ ઢગ છે.
તારા અશાંત મન ના એના પર પડે છે પડઘા
         ઘડી ભર શાંત થઈ જાને.

અંદર નો અવાજ દબાઈ તારા ઘોંઘાટ થી
 અંદર ની મધુર ધ્વનિ સુકાઈ એનાથી
         હે મન શાંત થઈ જાને...

અનંત જન્મો ના પ્રવાસ છે લાગ્યા ;
આજે કઈક શાંતિ ના વિચાર છે આવ્યા
તક તું ગુમાવે શાને,
હે મન શાંત થઈ જાને

પલક મિચવી બેસી તો જો
અંદર ના મહાસાગર ને શાંત કરી તો જો

આખો ખોલિશ તો માયા આવશે
બઁધ આંખે કઈ દિવ્યતા દેખાશે
હે મન આંખો બઁધ કરી તો જો

Thursday, 5 July 2018

ચાલો દીકરીઓ માટે સ્વસ્થ સમાજ નું નિર્માણ કરીયે





દરેક દીકરી ના માતાપિતા ને મારી નમ્ર વિનંતી કે દિકરીયો માટે સ્વસ્થ સમાજ નું નિર્માણ કરીયે.

દીકરીઓ માટે હવે આ સમાજ યોગ્ય નથી, એને બદલવાની જરૂર છે, અનિવાર્યતા છે.

છાપા માં એમની સાથે બનતા દુષ્કર્મ વાંચી હૃદય દ્રવી ઉઠે છે, અરેરાટી છૂટી જાય છે. જે ઉંમર રમવાની હોય ત્યાં કોઈક રાક્ષસ એમના ખીલતા જીવન નો નાશ કરી દે છે. હવે આ આપણા દરેક ની જવાબદારી થઈ પડી, કે સ્વસ્થ સમાજ નું નિર્માણ કરીયે, જીવન અને સમાજ માં નૈતિકતા ભરીયે.

ઉઠતા, બેઠતા, ચાલતા, ફરતા નૈતિકતા ની વાતો કરીએ, સિદ્ધાંતો ની વાતો કરીએ એને ફેલાવીએ. આપણે જેટલે પહોંચાડી શકીયે એટલે સ્વસ્થ વિચાર પહોંચાડીયે, આપણી આજુબાજુ સંયમિત વાતાવરણ નું નિર્માણ કરીયે. આપણી દિકરિયો માટે સ્વસ્થ સમાજ બનાવીએ.

જે સંસ્કૃતિ માં यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता: કહેવાતું હોય; જ્યાં નરસિંહ મહેતા ના ભજનો માં પર સ્ત્રી જેને માત રે નો ઉલ્લેખ થતો હોય; જ્યાં રામકૃષ્ણ પરમહંસ દરેક સ્ત્રી માં માતા નું સ્વરૂપ દેખવાનું ઊંચું દર્શન આપતા હોય, જે સમાજે સ્વામી વિવેકાનંદ અને દયાનંદ જેવા અસંખ્ય ઉંચા આદર્શ વાળા બ્રહ્મચારીઓ ના ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યા હોય અને આત્મ સંયમ અને બ્રહ્નચર્યા જેવા નિયમ જીવન માં વણવાની વાત હોય. જ્યાં આદર્શ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ને કહેવાય તે સમાજમાં આવા રાક્ષસ કેવી રીતે પેદા થાય અને આટલું નીચ કક્ષા નું દુષ્કર્મ કેવી રીતે આચરતા હોય. એના પર ગંભીર ચિંતન ની આવશ્યકતા છે. ક્યાંય આપણી નિષ્ક્રિયતા અને ખામી રહે છે તેને સુધારીયે.

આના પર તુરંત પગલાં લઇ સૌ સહભાગી થઈએ. હિંમતથી અનૈતિકતા, અશ્લીલતા નો વિરોધ કરીયે. એને ઉત્તેજના આપનાર માધ્યમ નો વિરોધ કરિયે. જે અભિનેતા કે અભિનેત્રીઓ અશ્લીલતા ફેલાવે તેમનો વિરોધ અને બહિષ્કાર કરીયે. જે ફિલ્મો અથવા અન્ય માધ્યમથી અશ્લીલતા પીરસતા હોય તેમનો ખુલ્લેઆમ હિંમત થી વીરોધ કરીયે બીજાને પણ તેના બહિષ્કાર માટે પ્રેરણા આપીએ અને આવનારી પેઢીને સદાચાર, સયંમ અને નૈતિકતા જેવા ગુણો શીખવીએ.

સમાજ માં સારા વિચારો ની વાતો કરીએ એનો પ્રચાર અને પ્રસાર કરીયે, એની તાતી જરૂર છે, એનાથી ઓછું કઈ ખપતુ નથી.વૈચારિક સ્તર ઊંચું લાવવા પ્રયત્નો કરીયે, સમાજ નું જે સ્તર નિમ્ન કક્ષા નું બની ગયું એને ઉપર લાવીએ, નીચે લઈ જનાર પણ આપણે છે અને એને ઊંચું લાવવા પણ આપણે જ પુરુષાર્થ કરવો પડશે. આપણા નાના કાર્ય ની અસર થશે, લોકો માં વૈચારિક સ્તર સુધરશે, આપણી સંસ્કૃતિ હમેશા સદાચાર પર જ ભાર આપ્યો છે. બસ છેલ્લા થોડા વર્ષો માં અશ્લીલતા નું આક્રમણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ના માધ્યમ થી વધી ગયું અને આપણા સહકાર થી જ ફુલયુ ફાલ્યું અને એના પરિણામ પણ આપણે ભોગવી જ રહ્યાં છે. જો હવે સતર્ક થઈ એનો અસહકાર કરીશું તો સારા પરિણામ મળશે. જેટલું તેજી થી આ માધ્યમ ગંદકી ફેલાવે તેટલી તેજી થી અને તત્પરતા થી આપણે પણ કાર્ય કરવું પડશે.

હવે આવા સમાચાર ન સાંભળવા મળે કે વાંચવા મળે એના માટે કમર કસીયે.

Wednesday, 2 May 2018

શિક્ષિત સમાજ ની વિકાસરૂપી રાક્ષસ પાછળ ની આંધળી દોડ




એવા વિકસીત સમાજ ની રચના થઈ કે લોકો માં શુદ્ધ હવા કરતા મોંઘી કાર ની ઘેલછા વધવા લાગી. હવે વેદના સાથે એને વિકસિત કહી રહ્યો છું.

આટલું પ્રદુષણ હોવા છતાં મેં કોઈ શિક્ષિત ને નથી સાંભળ્યો કે કાર વિના ચલાવી લઉ ના એ તો હવે જીવન નું અનીવાર્યપણુ થઈ ગયું કદાચ શુદ્ધ હવા કરતા પણ વધુ.

ઘણી વખત વિચાર આવે કે મારા મિત્રો ને હું 15 વર્ષ થી કાર ચલાવતા જોયા પણ કોઈ ને એક વૃક્ષ વાવતા નથી જોયા અને બધા શિક્ષિત છે, અમુક તો એટલા કે ડીગ્રી નો ઢગલો ખડકાય પણ શિક્ષણ ને વિકાસ ની પરિભાષા જ કાઈ અલગ કરી ત્યાં મારા જેવાની વાત મૂર્ખ સમી લાગે અને હજી આગળ લોકો નું, સરકારનું અને ઓટોમોબાઇલ કમ્પની નું ટાર્ગેટ તો ભવિષ્ય માં હજી કાર પ્રોડક્શન અને વપરાશ વધે એનું છે, છે ને વિકાસ ચરમસીમા પર!!

માતા પિતા આજે પોતાના બાળક ને ઓડી, મરસીડીઝ, એપલ આવુ શીખવતા થઈ ગયા પણ પક્ષી ની વિવિધતા, વૃક્ષ ની વિવિધતા, પ્રકૃતિ પ્રેમ જેવી અનિવાર્ય જ્ઞાન આપતા નથી. અને ઘણા દુઃખ સાથે કહેવું પડે કે આ શિક્ષિત સમાજ છે.

હમણાં એક પ્લાસ્ટિક ની થેલી બનાવતી ફેકટરી ની મુલાકાત લેવાનું થયું. હજારો વૃક્ષ કાપી નાખ્યા, મેં પૂછ્યું શા માટે તો પ્લાસ્ટિક એન્જિનિયર મને ગર્વ થી કહ્યુ નવો પ્લાન્ટ બનાવીએ છે ટોટલી જર્મન ટેકનોલોજી ઓપરેટેડ, એના થી અમારી પ્લાસ્ટિક પ્રોડક્શન ની કેપેસિટી વધી જશે.

મને ઘણું આશ્ચર્ય અને દુઃખ થયું, રહી ન શક્યો એટલે પૂછ્યું કે વૃક્ષ કરતા માનવીએ પ્લાસ્ટિક ને કેટલું મહત્વ આપ્યું કે આજે આ દશા આવી પહોંચી કે જે દેશ માં પ્રકૃતિ ને મા માનતા હતા જેમાં અમુક સમાજે તો એવું ઉદાહરણ આપ્યું હતું કે ગળું કાપી નાખો પણ વૃક્ષ ન કાપો એ જ દેશ માં પ્લાસ્ટિક જેવી વિશ્વ માટે ખતરા સ્વરૂપ વસ્તુ માટે જીવન ની અનિવાર્ય વસ્તુ નો ભોગ લેવા બેસી ગયા.

દેશ મા કેવી સાક્ષરતા વધી, જર્મન,યુરોપ, અમેરિકા ને ફોલો જ કરો એ જ વિકાસ, આગળ જતા મેં પૂછ્યું કે પ્લાસ્ટિક મા જર્મન અને અમેરિકા નો પ્રોડક્શન કેટલું હશે જ્યારે આપણે એમની ટેકનલોજી નો ઉપયોગ કરી રહયા છે તો એન્જીનીયર એ જવાબ આપ્યો કે ઘણું વધારે એ તો ઘણા આગળ છે આપણા થી દસ વિસ ગણું વધારે તો મારા થી રહેવાયું નહિ અને પુછાયું કે એને આગળ આપના થી કહેવાય?

એન્જીનીયર શરમાયા, પણ વિદેશ નું ખોટું કેવી રીતે સાંભળી શકે એટલે પાછો પ્રત્યુતર આપ્યો કે એ દેશ ઘણો આગળ ડિસપોઝ કરી દે, મને ઘણું આશ્ચર્ય સાથે ફરી પૂછવું પડયું કે પ્લાસ્ટિક ને ડિસપોઝ થતા કેટલો સમય લાગે 200 થી 250 વર્ષ ખરા તો કહે ના એના થી પણ વધારે. મેં કહ્યું કે મેં એવું સાંભળ્યું અને વાંચ્યું છે કે ગારબેજ રિલોકેટ થઈ શકે પણ ડિસપોઝ 100% ના થઇ શકે આખરે મારે વાત સાથે સહમત થયા અને કહ્યું ખરું કે ભલે આપણે કરીયે પણ આ વસ્તુ તો ખોટી છે જેમાં આપણું સર્વનાશ નોતરી રહ્યા છે.

આગળ જતાં મેં વેસ્ટજ કેટલો નીકળે એની વાત કરી, તો કહ્યું મહિના નું 680 કિલો, હવે આ તો થયું મહિના નું, વર્ષ નું ગણો અને આતો ભારત ની એક કમ્પની નું, આખા દેશ નું ગણો અને તેનાથી વિસ ગણું અમેરિકા નું ગણો, કઈ દિશા તરફ વિશ્વના વિકાસ ને લઈ જઈ રહ્યા છે એ વિચારવા જેવું છે ને!


મહાપુરુષો એ વારંવાર ચેતવ્યા, ઓદ્યોગિક ક્રાંતિ ની શરૂઆત મા જ વિલિયમ્સ વર્ડ્ઝવર્થ નામના મહાન કવિ એ The World is too much with us ટાઇટલ ની સુંદર કવિતા દ્વારા ચેતવ્યા, પણ બ્રિટિશ તંત્ર અને લોકો દ્વારા નકારવામાં આવ્યા.

હેનરી ડેવિડ થોરો પણ આ વાત કહી કે "live simple and with surrounding" પણ એમની વાત અમેરિકામાં ની સરકાર અને પ્રજા દ્વારા નકારવામાં આવી. નોબલ પારીતોષક એલેક્સિસ કરેલ એમની પુસ્તક Man the unknown મા ખૂબ સુંદર રીતે સમજાવી કે આપણે વિકાસ ની ખોટી દિશા પકડી છે, આખા વિશ્વનું જ્ઞાન ધરાવતો માણસ હજી પોતાને નથી સમજી શક્યો એટલે જ પુસ્તક નું નામ Man the unknown રાખ્યું છે. જેમાં શહેરીકરણ બધી સમસ્યા નું મૂળ છે અને ચેતવ્યા કે એ હજી વિસ્તરણ ન કરે પણ એના થી વિરુદ્ધ દરેક દેશ ને નવા શહેરો નો વિકાસ કરવો છે અને શહેરોનો વિસ્તાર વધારવો છે ભલે પછી એની જોડે દરેક સમસ્યા ઉભી થાય.

અહિયા તો પૂજ્ય બાપુ, ગાંધીજી એ દેશ ની લડત સાથે સમાજ પરિવર્તન ની મોટી વાત કરી અને પશ્ચિમી સભ્યતા ને શેતાની સભ્યતા ગણી એનાથી દૂર રહેવા કહ્યું પણ આઝાદી મળતા જ તો એનાથી વિરુદ્ધ જ દરેક કાર્ય નો આરંભ કરી દીધો, બસ પૂજ્ય બાપુ ને રાષ્ટ્રપિતા બનાવી નોટ પર બેસાડી દીધા જાણે આપણે બધા બતાવતા હોય કે ગોડસે એ તો તમારા સ્થૂલ શરીર ની જ હત્યા કરી પણ અમે તો તમારા અમર વિચારો ને પણ રોજ મારી રહ્યા છે.

ગુરુજી રવિન્દ્ર શર્મા ના વ્યાખ્યાન માં સાંભળ્યું હતું કે પેન્ટ શર્ટ પહેરતા ભારતીયો ભારત ને ઓળખતા નથી, પેહલા તો સમજવું અઘરું લાગ્યો પણ અનુભવ થતા જ એમની દીર્ઘદ્રષ્ટિ નો ખ્યાલ આવ્યો. મારે કોઈ શિક્ષિત વિદેશી વસ્ત્રો માં લપેટાઈ રહેતા ભારતીય ને પૂછું કે અલગ અલગ દાતણ અને તેમના રસ વિશે કહો તો ભાગ્યેજ જવાબ મળશે કારણ કે એમને તો વિદેશી શિક્ષણ પ્રમાણે ડીગ્રી લીધી છે તો ભારતીય જ્ઞાન ક્યાંથી હોવાનું. જો કુવા નું વિજ્ઞાન કે પોળો માં પાણી ના ટાંકા બનાવી વરસાદ નું પાણી સંગ્રહ કરવાની રીત, કે ગામ ના તળાવ નો ઇતિહાસ કે વિજ્ઞાન પૂછું તો એમને તો જુનવાણી અને વિકાસ વિરુદ્ધ ની વાત લાગે, પણ એમને ક્યાં ખબર છે કે  વોટર હારવેસ્ટીગ જે પશ્ચિમ માં થી હમણાં શબ્દ આવ્યો છે તે હજારો વર્ષ થી એનો ઉપયોગ થતો હતો.

આજનું આધુનિક વિજ્ઞાન એ માની રહ્યું છે કે મેડિકલ સાયન્સ અને સિવિલ એન્જીનીયર ને ઘણું કનેક્શન છે ત્યારે વરસાદ નો પાણી નો સંગ્રહ અને આયુર્વેદ માં વરસાદના પાણી ને પીવાનો ભાર જે સૌથી વધુ સુપાચ્ય ગણાય એનો ખ્યાલ આવે. એટલે હવે વિકાસ અને આધુનિક શિક્ષણ મારા માટે તો ડરાવના શબ્દ થઈ પડ્યા છે.

મારે પશ્ચિમ ની તો વાત ન નથી કરવી જેને સમજ્યા વગર આપણે આંધળું અનુકરણ કરી ને જ આ દશા બેસાડી છે.

પ્રકૃતિ એ એક ઝાડ ના પાન પણ સરખા નથી બનાવ્યા, જોડિયા બાળક ના ફિંગર પ્રિન્ટ પણ અલગ હોય તો આખી દુનિયા ની રહન સહન ની વ્યવસ્થા કેમ એક કરવા પાછળ મથી રહ્યા છે, અને એના પરિણામો વિશે પણ પ્રખ્યાત અર્થશાસ્ત્રી, જોસેફ સ્ટીગ્લિત્ઝ, બ્રેન્કો મિલાનોવેક વગેરે જેવા લોકો ચેતવી રહ્યાં છે.

પોતાના સમાજશાસ્ત્ર ને સમજ્યા વગર અર્થશાસ્ત્ર અનર્થશાસ્ત્ર જ થઈ પડશે અને જેના પરિણામો પણ ભોગવી રહ્યા છે જેટલા જલ્દી જાગ્યે એટલું સૌને માટે જલ્દી સારું.


Monday, 8 January 2018

ગ્રામ સ્વરાજ





John Maynard Keynes is the father of consumerism. However, he warned of using consumerism as a means of growth. He said that his economic system would be good for only around 100 years. After that, people should come back to “real” value.

ઉર્પયુક્ત વાક્ય ને જોતા જ સમજાય કે કેઈયન્સ નું અર્થશાસ્ત્ર એક ઢોંગી સમૃદ્ધિ નું માળખું હતું જેમાં અમુક વ્યક્તિ ની જ સમૃદ્ધિ થઈ શકી બાકી ગરીબી માં કાઈ સુધારો કરી ન શક્યા.

૧૯૨૯ ની વિશ્વ મંદી પછી જાને કેઈયન્સ સિવાય વિશ્વ અર્થવ્યવસ્થા માટે રસ્તો જ નહતો, સમાજવાદ ની નિષ્ફળતા પર વિશ્વ એ કેઈયન્સ ના મૂડીવાદી ની પદ્ધતિ અપનાવી એ ઉતાવડીયું પગલું કહી શકાય.

સાચો સમાજવાદ ભારતીયતા પ્રમાણે સમજ્યા વગર માર્ક્સ વિચાર ધારા ને જ સમજી બેઠા એ પણ ભૂલભરેલું કહી શકાય કારણકે માર્ક્સ નો સમાજ વાદ પણ નિયત્રણ ની જ વાત કરે છે જ્યારે મૂડીવાદ પણ એ જ કહે છે. બસ ફરક એટલો છે કે નિયત્રણ કરનારા લોકો બદલાઈ જાય છે.

ભારતીય સમાજવાદ ની વાત કરું તો; સમાજવાદ એ સમૃદ્ધિ નું વિતરણ હોવું જોઈએ ન કે ગરીબી નું વિભાજન.

આ બને વિદેશી માળખા દ્વારા ભારતીયો ને માર જ પડ્યો છે, જેથી ભરત કુમારપ્પા નું પુસ્તક, મૂડીવાદ, સમાજવાદ અને ગ્રામ્યવાદ યાદ આવે. 

ગ્રામયજીવન એ આપણો ભવ્ય વારસો છે

તેને બચાવવું તે આપણી નૈતિક ફરજ છે. ગ્રામયજીવન સામાજિક, આધ્યત્મિક, આર્થિક, રાજનીતિક અને પર્યાવરણ ની દ્રષ્ટિએ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે...

ગ્રામ્ય જીવન ભારતીય દર્શન વસુવધેવ કુટુમ્બકમ સૌથી નાનો એકમ છે અને તે મહાન અર્થશાસ્ત્રી ઇ એફ સુમેકર નું ગૂઢ દર્શન વાળું વાક્ય નાનું એ સુંદર વાક્ય ઘણું કહી જાય છે.

મોટું, મેગા, મેટ્રો આ બધા શબ્દો વિનાશ સિવાય કઈ આપી નહીં શકે.

આધુનિક લોકતંત્રો ચૂંટણી કેન્દ્રી, પક્ષ પ્રધાન, સતાલક્ષી, કેન્દ્રિત જટિલ તંત્રરચના ઓ છે. રાજયવ્યવસ્થા મૂડીવાદી, સમાજવાદી કે સામ્ય વાદી હોય, પણ આ હરેક રાજયવ્યવસ્થા અતિશય મોટી અને ભારે મથાડાવાડી છે અને તેમાં સતાના કેન્દ્રીકરનનો દોષ ઘર કરી બેઠો છે. તેમાં વ્યક્તિઓ ની કશી ગણના હોતી નથી; ભલે મતદાતાઓ તરીકે તેમને માલીક નું નામ આપવામાં આવતું હોય.

મતદારો મુદ્દતે મુદ્દતે થતી ચૂંટણી વખતે મતપત્રક માં ચોકડી કરવા હાજર થાય છે અને પછી બીજી ચૂંટણી થતા સુધી ઊંઘી રહે છે. સરકાર ની નીતિ ઘડવામાં માં ભાગ્યેજ અવાજ હોય છે, બલ્કે બિલકુલ હોતો જ નથી.

ગ્રામ સ્વરાજ એ રાજ્ય નું વિલનીકરણ નથી પણ રાજ્યો નું વિકેન્દ્રીકરન છે. રાજકીય સતા એ સાધ્ય નથી પણ સાધન છે.

સ્વરાજ એટલે સરકાર ના અંકુશ માંથી મુક્ત થવાનો સતત પ્રયાસ; પછી ભલે સરકાર પરદેશ ની હોય કે દેશ ની.

જો લોકો જીવનની દરેક વિગત ના નિયમન માટે સરકાર તરફ જોશે તો તે સ્વરાજ માં ઝાઝો સાર નહીં હોય.

આધુનિક અર્થવ્યવસ્થાઓ ભોગવિલાસ, ભૌતિક જરૂરિયાતની વૃદ્ધિ અને નીતિશાસ્ત્ર થતા અર્થકારણ વચ્ચે ના વિચ્છેદના પાયા પર ઉભેલી હોવાથી તે મોટા પાયા પરના યાંત્રિક, કેન્દ્રિત અને જટિલ સંગઠનો બની બેઠી છે.

બેકારી, અર્ધબેકારી, ગરીબાઈ, શોષણ, બજારો કબ્જે કરવાની થતા કાચા માલ માટે મુલ્કો જીતવાની ગાંડી હરીફાઇ દુષણો એમને વળગેલા છે. સ્પર્ધા, સંઘર્ષ અને વર્ગવિગ્રહથી સમાજનો જીવનતંતુ ખવાઈ જાય છે. તેમાં વ્યક્તિ ની ગુલામી રહી છે.

માણસને યંત્રના મોમાં કોળિયો મુકનાર હાથ તરીકે ગણવામાં આવ્યો છે જાણે કે એ બહાર નો ભાગ ન હોય એવો એને કરી મુક્યો છે અને એના લીધે આત્મા ને હણી નાખતા એકધારા કામને લીધે તેની સૂક્ષ્મ સંવેદનાઓ તે ખોઈ બેસે છે.

પરિણામે કારખાનાના કંટાળાજનક કામના કષ્ટ ની તાણ હળવી કરવા માટે તે નીતિનાશક સિનેમાઘરો, દારૂની દુકાનો અને દારૂની મહેફિલો તરફ દોડે છે.

શહેરો એ બાપુ ની ભાષા માં દેશ ના સમાજદેહ પર નીકળેલા ગુમડા જેવા છે જેથી દેશ નો દેહ સુંદર નથી દેખાતો.

સમાજ ગરીબ અને તવંગર, સુખ સગવડ ભોગવનારા અને અગવડ વેઠનારા એવા બે ભાગ માં વહેચાઈ જાય છે.  આજે જોવા મળે છે એટલી માત્રા માં આર્થિક અસમાનતા અગાઉ કદી ન હતી.

ગ્રામ સ્વરાજ માં આત્મનિર્ભરતા છે, જે સ્વાવલંબી બનાવે છે જ્યારે શહેર તો પશ્ચિમ ની નકલ થઈ ઉભું થયેલ માળખું જેમાં સૌને સાહેબગીરી ની માનસિકતા થઈ પડેલ છે અને એમાં આનંદ આવે છે, પરંતુ શ્રમ નાશવંત છે એનું ભાન ભુલાઈ ગયું છે અને પ્રકૃતિ એ હાથ પગ કેમ આપ્યા તે પ્રશ્ન મનુષ્ય પોતાને પણ નથી કરી રહ્યો અને આળસ એટલી ભરાઈ ગયી કે બાળપણ માં શાળા ની દીવાલ પર લખેલ વાક્ય આજે યાદ આવે છે જેમાં લખેલ હતું કે આળસ એ જીવતા માણસ ની કબર સમાન છે જે આજે શહેર મા અનુભવાય પણ છે.

વિશ્વ નું ભવિષ્ય ગામડા માં જ છે, કારણકે દિલ્હી ની દશા આપણે દેખી અને બીજા શહેરો લાઈન માં ઉભા જ છે, જો વિકાસ ની ભાષા ન બદલાઈ તો ગણતરી ની પળો માજ દિલ્હી ની દશા ઠેર ઠેર જોવા મળશે.

ગ્રામ્યજીવન ને મૃતસ્વરૂપ આપનાર આપણી આંધળી દોડ છે, જે પ્રકૃતિમય ગામડું હતું એને ઉજાળી હવે તેમાં શહેર બનાવી બોર્ડ લગાવ્યા કે પ્રયાવરણ બચાવો, વૃક્ષો બચાવો, આદિવાસી નું જીવન નષ્ટ કરી હવે આદિવાસી મ્યુઝિયમ બનાવા બેઠા છે અને એવી જગ્યા એ પછી મથાળા મારીએ છે કે સનસ્કૃતિ બચાવો પણ એને ઉજાળનારા પોતે જ છે. કારણ આદિવાસી કાર લઈ ને ન ફરે એટલે એને પછાત ગણવાની એ જ આપણી માનસિકતા છે અને કાર કોઈ લાવે તો એને અભિનંદન કહી વધાવી લેવાના અને પુરવાર કરવાનું કે આજ પ્રગતિ નુ માધ્યમ છે.

ગ્રામ્ય જીવન નું સૌથી મહત્વ નું પાસું એ છે કે તે પ્રકૃતિ ને તોડતું નથી જોડે છે, આજે જ્યારે અમદાવાદ માં મેટ્રો રેલ માટે હજારો વૃક્ષો નું નિકન્દન કાઢી રહ્યા છે જેમાં માણસ પોતાનો જ સ્વાર્થ દેખે છે એને કસી પડી નથી રહી કે વૃક્ષ પરના પંખી કયા જશે, તેના પર વસતા કપિ પરિવાર નું શુ અને સ્વાર્થ પણ આંધળો કે પોતાને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા ને અવગણી ને વિનાશ વાળો વિકાસ લાવી રહ્યા છે જેથી મારા જેવા ને તો હવે વિકાસ નામથી જ ડર લાગવા માંડયો છે.


સ્વાસ્થ્ય સંવાદ

સ્વાસ્થ્ય સવાંદ ગ્રુપ ની તારીખ 18 - Aug - 20, સાંજે 8.30 થી 10.00 વાગ્યા સુધી સ્વસ્થ કેમ રહેવું અને આહાર વિહાર માં જે કાળજી લેવી એના પર હું ...